Friday 9 August 2019

બળેવ

બળેવ 


બળેવ  એટલે રક્ષાબંધન  .શ્રાવણ સુદ પૂનમના દીવસે રક્ષાબંધન આવે છે.રક્ષાબંધન  એટલે ભાઈ-બહેનનાં નિર્મળ પ્રેમનો અમૂલ્ય ઉત્સવ  .આ દિવસે બેહેન ભાઈને ઘરે જઈ ,ભાઈને હાથે રાખડી બાંધે છે  .તેના બદલામાં ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે  .
રક્ષાબંધનની ઘણી કથાઓ છે  .તેમાં એક કથા આવી છે :

દેવરાજ ઇન્દ્ર દાનવો સાથે બાર વર્ષ સુધી લડતા લડતા થાકી ગયા  .આ વખતે બૃહસ્પતિએ આગમન થયું તેમણે ઇન્દ્રને કહ્યું "હે સુરેન્દ્ર !હું તમારું મંગલ કરવા રક્ષાબંધન કરું છું।  .મારા આર્શીવાદથી તમે દૈત્યોનો સરળતાથી નાશ કરી શકશો  .

આમ કહી બૃહસ્પતિએ રક્ષા તૈયાર કરી આપી  .આ રક્ષા ઈન્દ્રાણી એ  દેવરાજનાં હાથ પર બંધાતા ,ઇન્દ્ર વિજેતા બન્યા  .
આમ પહેલાના વખતમાં યુદ્ધમાં જતા પતિ કે પુત્રને માતા કે બેહેન રાખડી બાંધી તેમના વિજય માટે પ્રભુને પ્રાથના કરતા હતાં   .જયારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કુંતામાતાએ અભિમન્યુના કાંડા પર બાંધી હતી  .એ  રાખડી જ્યાં સુધી અભિમન્યુના કાંડા પર સુરક્ષિત હતી,ત્યાં સુધી તે યુદ્ધમાં વિજય મેળવતો રહ્યો  .

ચિતોડની રાણી જોધાબાઈએ પોતાની માતૃભૂમિના રક્ષણોથે મોગલ બાદશા હુમાયુને મોક્લી ,તેને પોતાનો ભાઈ બનાવ્યો હતો  .આમ રાખડીનો મહિમા ઘણાં વર્ષોથી ચાલ્યો આવે છે  .

આ દિવસે બ્રાહ્મણો સવારે વેહલા ઊઠી નદીએ જય સ્નાન કરી ,જૂની  જનોઈને બદલી ને નવી જનોઈ ધારણ કરે છે  .જૂની જનોઈ તેઓ જળ માં  પધરાવી દે છે  .
બળેવને કેટલાક લોકો "નારિયેળી પૂનમ " પણ કહે છે   .આ દિવસે સાગર ખેડુઓ સાગર માં શ્રીફળ હોમી સાગર દેવનું  પૂજન કરી પછી જ વહાણે ચડે છે.
આમ આ દિવસે બ્રાહ્મણો,ભાઈ,બેહનો તથા સાગર-ખેડુઓ માટે જ આનંદ-ઉત્સવનો દિવસ છે  .

No comments:

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...