Saturday 31 August 2019

સામા પંચમ વ્રત કથા /ઋષિ પાંચમી

         સામા  પંચમ વ્રત કથા /ઋષિ પાંચમી

            /Rushi Panchami Vrat Katha 


ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહે છે  . મોટે ભાગે  સ્ત્રીઓ રજોદર્શન વખતે જાણીયે -અજાનિયે  થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે   .આ દિવસ ઋષિપંચમી તરીકે ઓળખાય છે   .વ્રત કરનારે સવારે વેહલા ઊઠી , અઘેડાનું દાતણ કરવું   . શરીરે માટી ચોળી માથામાં આંબળા ની ભૂકી નાખી માથું ચોળવું  .આ દિવસે ઉપવાસ કરવો  .સામો ખાવો તથા ફળાહાર કરી શકાય  .

Thursday 29 August 2019

ગણેશ ચોથ વ્રત કથા

Ganesh Chaturthi vrat Katha
ગણેશ ચોથ વ્રત કથા


ભાદરવ સુદ ચોથને ગણેશ ચોથ કહેવામાં આવે છે  .આ વ્રત કરનારે ઘરમાં વાજતે -ગાજતે ગણપતિદેવની સ્થાપના કરવી, રોજ ગણપતિ નું પૂજન કરવું ,ગણપતિ ની પવિત્ર કથા કરવી ,મીઠાવાળી ચીજ ખાવી નહિ  .ગણપતિ ને લાડુ તથા માલપુઆનું નૈવેદ્ય ધરાવવું  . ભોજન કરતી વેળા બોલવું નહિ   .રાત્રે ભજન-કીર્તન કરી ચંદ્રદર્શન કરવું  .

Friday 23 August 2019

વીર પસલી વ્રત કથા


વીર પસલી વ્રત કથા (વાર્તા )

ભાઈ ની રક્ષા કરતું વ્રત 



શ્રવણ માસના પેહલા રવિવારથી આ વ્રતનો પ્રારંભ થઇ છે,અને બીજા રવિવારે પૂરું થઇ છે  .આ દિવસે બેહેન ભાઈને ઘરે જમવા જાય છે અને બેહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે   . આ વ્રત ભાઈના કલ્યાણ માટે ,તેના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે  

Tuesday 20 August 2019

દેબોદ એક ટોલેમિક મંદિર

દેબોદ  એક ટોલેમિક મંદિર 

(Debod ,a Ptolemaic  temple)


દેબોદ  એક ટોલેમિક મંદિર બીજી સદીનું ઈજીપ્તીયન મંદિર છે   .
ટેમ્પ્લો દ દેબોદ ઈજીપ્તની દક્ષિણમાં સ્થત થયેલું હતું   .
આ મંદિર આદિમલામ દેવ અને દેવી  ઇસિસ ને સમર્પિત છે.
મંદિર નું નિર્માણ બીજી સાદી મેરો  ના રાજા આદીજાલમની દ્વારા કરવામાં આવ્યું  હતું  . છઠ્ઠી સદી ના અંતે નિરુસીયસને ખ્રિસ્તી ધર્મ માટે રૂપાંતરિત કાર્ય બાદ મંદિર ને સીલ કરવામાં આવ્યું હતું  .પથ્થરો નું પુનઃ નિર્માણ કરી ને 1972 માં જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું   .
મંદિર એટલું જૂનું છે કે તેમાં માત્ર 10 માણસ નો પ્રવેશ થઇ શકે છે  .અમુક જગ્યા માં પ્રવેશ વર્જિત છે. મંદિર માં જવા માટે લાઇન માં કલાકો  સુધી  ઉભું રેહવું પડે છે  .

મેડ્રિડ સ્પેઇન માં દેબોદ મંદિર કઈ રીતે આવ્યું ?

ઈજીપ્તની મહાન અસ્વાન ડેમ નું નિર્માણ 1960 માં શરુ થયું હતું। વિશાલ તળાવ ની લંબાઈ 500 કિલોમીટર હતી   .જેને કારણે પૂર આવ્યું અને પુરાતત્વીય સ્મારકોનો અંત થયો.
લોઅર ન્યુબિયાની સાઈટ્સ ,તેના પાણી હેઠળ કાયમી ડૂબી ગઈ  .
ઈજીપ્ત અને સુદામાની વિનંતી પર ,યુનેસ્કો એ મંદિર અને સ્મારકો ને બચાવવાનું કાર્ય હાથ માં લીધું  .
ચાર મંદિરો બચાવવા માં આવ્યા હતા, ઈજીપ્ત એ  જે દેશોમાં થી સૌથી વધુ યોગદાન આવ્યું અને દાન માં આપ્યા   .
1968 માં સ્પેઇન એ ટેમ્પલ દ દેબોદ મેળવ્યું , અબુ સિમ્બલના મંદિર ને બચાવવા માટે  .
ભૂતપૂર્વ કુએટરલ લા  મોન્ટાનાની સાઈટ પર 1970 માં એષલોર્સ મેડ્રિડ સ્પેઇન પોંહચીયા અને મંદિર ની સ્થાપના કરવામાં આવી   .
1972 માં નાગરિકો એને પ્રવસીયો  માટે  મંદિર ખુલીયું  .







Monday 19 August 2019

જન્માષ્ટમી વ્રત કથા

                             જન્માષ્ટમી વ્રત કથા 


શ્રાવણ વદ આઠમ,તેને જન્માષ્ટમી કહેવામાં આવે છે   .આ દિવસે મધ્યરાત્રીએ શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો  . આ દિવસે વ્રત કરનાર સવારે નાહી -ધોઈ શ્રીકૃષ્ણનું પૂજન કરે છે અને આખો દિવસ ફળાહાર કરી ને ઉપવાસ કરે છે. મધ્યરાતે મંદિરમાં જઈ શ્રીકૃષ્ણ ભગવાનનાં દર્શન કરે છે  .વ્રત કરનારે નીચેની કૃષ્ણ કથા વાંચવી કે સાંભળવી  .

Friday 16 August 2019

નાગપંચમી વ્રત કથા

                       નાગપંચમી વ્રત કથા 


શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી  . આ દિવસે વ્રત કરનારે સવારે વેહલા ઉઠી ,નાહી-ધોઈ પાણિયારે નાગનું ચિત્ર દોરી ,ઘીનો દીવો કરી,પૂજા કરવી  .પછી બાજરીના લોટની ફુલેર બનાવી ધરાવવી  .તે દિવસે એકટાણું કરવું   .એમાં આગલા દિવસના પલાળેલા મઠ ,મગ,બાજરી,કાકડી તથા અથાણું ખાય શકાય  .આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે.


Monday 12 August 2019

બોળચોથ વ્રત

                                બોળચોથ વ્રત


શ્રાવણ વદ  ચોથને દિવસે આ વ્રત આવે છે. વ્રત કરનાર આ દિવસે સવારે નિત્યકર્મથી પરવારી કકું ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું  પૂજન કરવું તથા એકટાણું જમવું  .વ્રત કરનારે એ દિવસે ઘઉં ની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહિ  .આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવી ખવાય છે.

Sunday 11 August 2019

સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત

સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત 


સિદ્ધેશ્વર મહાદેવ નું વ્રત કોઈપણ સોમવારથી કરી શકાય છે  . આ વ્રત દર સોમવારે કરવાનું   .એકે સોમવાર પાડવો નહિ   .વ્રતનું ફળ મળે નહીં ત્યાં સુધી આ વ્રત કરવું   .આ વ્રતમાં શિવજીની પૂજા કરવી,એકટાણું કરવું  .

Friday 9 August 2019

બળેવ

બળેવ 


બળેવ  એટલે રક્ષાબંધન  .શ્રાવણ સુદ પૂનમના દીવસે રક્ષાબંધન આવે છે.રક્ષાબંધન  એટલે ભાઈ-બહેનનાં નિર્મળ પ્રેમનો અમૂલ્ય ઉત્સવ  .આ દિવસે બેહેન ભાઈને ઘરે જઈ ,ભાઈને હાથે રાખડી બાંધે છે  .તેના બદલામાં ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે  .
રક્ષાબંધનની ઘણી કથાઓ છે  .તેમાં એક કથા આવી છે :

દેવરાજ ઇન્દ્ર દાનવો સાથે બાર વર્ષ સુધી લડતા લડતા થાકી ગયા  .આ વખતે બૃહસ્પતિએ આગમન થયું તેમણે ઇન્દ્રને કહ્યું "હે સુરેન્દ્ર !હું તમારું મંગલ કરવા રક્ષાબંધન કરું છું।  .મારા આર્શીવાદથી તમે દૈત્યોનો સરળતાથી નાશ કરી શકશો  .

આમ કહી બૃહસ્પતિએ રક્ષા તૈયાર કરી આપી  .આ રક્ષા ઈન્દ્રાણી એ  દેવરાજનાં હાથ પર બંધાતા ,ઇન્દ્ર વિજેતા બન્યા  .
આમ પહેલાના વખતમાં યુદ્ધમાં જતા પતિ કે પુત્રને માતા કે બેહેન રાખડી બાંધી તેમના વિજય માટે પ્રભુને પ્રાથના કરતા હતાં   .જયારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કુંતામાતાએ અભિમન્યુના કાંડા પર બાંધી હતી  .એ  રાખડી જ્યાં સુધી અભિમન્યુના કાંડા પર સુરક્ષિત હતી,ત્યાં સુધી તે યુદ્ધમાં વિજય મેળવતો રહ્યો  .

ચિતોડની રાણી જોધાબાઈએ પોતાની માતૃભૂમિના રક્ષણોથે મોગલ બાદશા હુમાયુને મોક્લી ,તેને પોતાનો ભાઈ બનાવ્યો હતો  .આમ રાખડીનો મહિમા ઘણાં વર્ષોથી ચાલ્યો આવે છે  .

આ દિવસે બ્રાહ્મણો સવારે વેહલા ઊઠી નદીએ જય સ્નાન કરી ,જૂની  જનોઈને બદલી ને નવી જનોઈ ધારણ કરે છે  .જૂની જનોઈ તેઓ જળ માં  પધરાવી દે છે  .
બળેવને કેટલાક લોકો "નારિયેળી પૂનમ " પણ કહે છે   .આ દિવસે સાગર ખેડુઓ સાગર માં શ્રીફળ હોમી સાગર દેવનું  પૂજન કરી પછી જ વહાણે ચડે છે.
આમ આ દિવસે બ્રાહ્મણો,ભાઈ,બેહનો તથા સાગર-ખેડુઓ માટે જ આનંદ-ઉત્સવનો દિવસ છે  .

Wednesday 7 August 2019

શીતળા સાતમ ની વ્રત કથા

શીતળા સાતમ ની વ્રત કથા

 

શ્રાવણ વદ સાતમ ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે.વ્રત કરનાર સવારે વેહલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે   .આખો દિવસ રાંધણછઠ્ઠનું રાંધેલું ટાઢું ખાય છે  .આ દિવસે ચૂલો સળગાવવો નહિ   .ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવી   .

Saturday 3 August 2019

ભાખરીયા સોમવાર ની વ્રત કથા

            ભાખરીયા સોમવાર ની વ્રત કથા 



આ વ્રત શ્રાવણ માસના પેહલા સોમવારથી શરુ કરવામાં આવે છે   . વ્રત કરનારે ત્રણ,પાંચ સાત એમ એકી સંખ્યામાં મહાદેવજીને બીલીપત્ર ચડાવવાં અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી  .તે દિવસે ભાખરીયા સોમવારની વાર્તા સાંભળવી ,મહાદેવજીને ભાખરીનું નૈવેદ્ય ધરાવવું ,ઉપવાસ કરવો અને ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે.



Friday 2 August 2019

સાકરિયો સોમવાર ની વ્રત કથા

સાકરિયો સોમવાર ની વ્રત કથા 


શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત કરવું  .આ વ્રત ઘણું કઠણ છે  .સોમવારે  સવારે વેહલા ઊઠી નાહીધોઈ શંકર ભાગવાના નામનો દીવો કરી 100 ગ્રામ સાકાર લઈ  મંદિરે જવું  .પછી સાકરના ચાર સરખા ભાગ કરી,એક ભાગ મહાદેવજીને ધરાવવો,સાકરનો બીજો ભાગ રમતાં બાળકોને આપવો ,ત્રીજો ભાગ પોતે પ્રસાદ  તરીકે લેવો અને ચોથો ભાગ નદી ,કુવા કે તળાવમાં પધરાવી દેવો।આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો  .પછી સાકરીયા સોમવારની વાર્તા સાંભળવી   .


Thursday 1 August 2019

ફૂલકાજલી વ્રત

                              ફૂલકાજલી વ્રત 



આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે   . આ વ્રત શ્રાવણ સુદ ત્રીજ ને દિવસે કરવામાં આવે છે આ વફરાટ ફૂલ સુંધી ને કરવામાં આવે છે  .




                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...