Friday, 25 October 2019

Sunday, 20 October 2019

કડવા ચોથ

કડવા ચોથ 


કારતક મહિનાની અંધારી ચોથના ને કડવા ચોથ કહેવાય છે    .  આ વ્રત ફક્ત પરણેલી સ્રીઓ  કરે છે  .  તે  પોતાના પતિના સુખ ,સમૃદ્ધિ ને સુરક્ષા માટે આ વ્રત કરે છે  .  વ્રત કરનારે આખો દિવસ કંઈપણ લેવું નહિ     .રાત્રે  ચંદ્રદર્શન કારિયા પછી ચંદ્રને અર્ઘ્ય   આપી ઉપવાસ કરવો   .પછી પતિના દર્શન કરી તેના હાથે પાણી પીવું આ દિવસે માટીમાંથી ગૌરીની મૂર્તિ બનાવી તેની પૂજા કરવી   .


ભાઈ બીજ

                           ભાઈ બીજ 

કારતક સુદ  બીજ ને ભાઈ બીજ કહેવામાં આવે છે . એ  દિવસે ભાઈ બહેનને ઘેર જમવા જાય છે અને જમી કરીને બેહનને યથાશક્તિ ભેટ આપે છે .

Wednesday, 16 October 2019

અંબામા નું વ્રત

                           અંબામા નું વ્રત 


આ વ્રત કોઈપણ સ્રી કે પુરુષ કરી શકે છે .આ નવ મંગવારેનું વ્રત છે  . કોઈપણ અડચણ આવી જાય કે પછી ના મંગળવારે આ વ્રત વધુ કરી લેવું  . કુદરતી રીતે એક મંગળવાર પડી જાય તો વ્રતની વિધિને અસર થતી નથી   . સ્ત્રીઓએ ઉજવણી વખતે પાંચ તેથી વધુ સૌભાગ્યવતી બહેનો કે કુમારિકાઓને જમાડવી  .ઉ જવણી વખતે પુરોષોએ માત્ર દશ બાર વર્ષના બાળકોને અથવા સાંઠ વર્ષની આસપાસના વૃદ્ધને જમાડવા   .
ઉપરાંત કીડિયારું પુરી શકાય, પંખીઓને ચણ ,કૂતરાને રોટલો નાખી શક્ય છે  .

Friday, 27 September 2019

નવરાત્રી વ્રત કથા

નવરાત્રી વ્રત કથા 


ચૈત્ર માસની શુક્લ પક્ષ (સુદ)ના પડવેથી નોમ સુધી તેમજ આસો માસના શુક્લ પક્ષ (સુદ) ના પડવેથી નોમ સુધી નવરાત્રી મનાવવામાં આવે છે   . આમ વર્ષમાં બે વખત નવરાત્રી મનાવવામાં આવે છે  .આમાં નવગૌરી ( નવદુર્ગા)નું પૂજન-અર્ચન, ઘટસ્થાપન,વ્રત ગરબા આદિ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે   .

Wednesday, 11 September 2019

અનંત ચૌદશ


અનંત ચૌદશ 



આ વ્રત ભાદરવા સુદ ચૌદશ ને દિવસે કરવામાં આવે છે   .શેષશય્યા ઉપર પોઢેલા ભગવાન   વિષ્ણુનું  આ વ્રત છે   . વ્રત કરનારે સવારે નહી -ધોઈ બજોઠ કે પાતાળ પર કેળના પાન બાંધી મંડપ તૈયાર કરવો   .તેમાં નદીના પવિત્ર જળથી ભરેલો તાંબાના ઘડા નું સ્થાપન કરવું   .આ ઘડા ઉપર દુર્વા ના બનાવેલા શેષનાગ મૂકી તેમની પૂજા કરવી   .રેશમી દોરામાં સોનાના તાર ગુંથી,તેની ચૌદ ગાંઠો વળી,એ દોરાને હાથમાં બાંધવો   .વ્રત ના દિવસે રાત્રે જાગરણ કરી પ્રભુસ્મરણ કરવું   .બ્રાહ્મણોને જમાડવા અને યથાશક્તિ દાન -દક્ષિણા આપવી   .આમ આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવામાં આવે છે  .

Monday, 9 September 2019

ગોત્રાટ વ્રત

ગોત્રાટ  વ્રત


ભાદરવા સુદ તેરસથી આ વ્રત શરુ થાય છે.તે ત્રણ દિવસ સુધી કરવામાં આવે છે  .વ્રત કરનારે નહી - ધોઈ ઇસ્ટ દેવની પૂજા કરી ને ગાયનું પૂજન કરવું ,તેને ઘાસ ખવડાવવું, પાણી પિવડાવવું  . આ ત્રણ દિવસ ઉપવાસ કરવો   .ત્રણ  દિવસ સુધી ઘીનો અખંડ દિપક બળવો  .આ વ્રત કરવાથી આપણાં પાપોનો નાશ  થાય છે  ,અને આપણને સુખ ,સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે  .પુત્રની ઇચ્છાવાળાઓએ આ વ્રત અવશ્ય કરવું  .

                           મહા લક્ષ્મી વ્રત કથા    આ વ્રત ભાદરવા સુદ આઠમ ના દિવસે કરવામાં આવે છે .તે સોળ દિવસ કરાય છે .આ દીસે સ્નાન કરી સોળ ...